તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં..


ઓ પ્રિયતમ ! તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં ને કેટલાંક બાકિ રાખ્યાં ! એ અર્પણ હતું. જ્યારે મેં તો અંજલિમાં એક પણ પુષ્પ બાકિ નથી રાખ્યું હો નાથ ! આજ તો સમર્પણ છે. જ્યારે સંપૂર્ણ જીવન તને સમર્પિત છે ત્યારે શુભ અને લાભ બંને તારાં જ છે ! આજ તો છે જીવનનું સ્વસ્તિક...પેલું અશુભ નામનું કરમાયેલું પુષ્પો છો ને મારી પાસે રહે !

No comments:

Post a Comment