જ્યારે સૂરજનો શ્વેતરંગ...

જ્યારે સૂરજનો શ્વેતરંગ પોતાની શાશ્વતતા તજીને ભૂખરાં આકાશમાં પોતાની જાત સમર્પિત કરી દઇ પોતાનું અસ્તિત્વ મીટાવી દે છે ત્યારે આકાશમાં સપ્તરંગોની છટા છવાઇ જાય છે. એક મેઘધનુષનું સર્જાવું કેટલી મોટી કૂરબાની માંગી લે છે ? આજ તો છે પ્રણયની પૂર્ણતા પામવા માટેની આકરામાં આકરી શરત... એક વૃક્ષનું સર્જન એક બીજનાં વિસર્જનની દાસ્તાન હોય છે !

No comments:

Post a Comment