મેં પત્થરની અનુપમ મૂર્તિ કંડારી. મારાં જીવંત સદગુરુ પાસે તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી. મૂર્તિ તો હંસી ઊઠી. ને લોક ચૈતન્યનો ખજાનો લૂટવા લાગ્યાં.
"મારું શું મારા નાથ ! મને તો તું હજુ ક્યાં મળ્યો છે ?
મેં એકાંતમાં તેને ફરિયાદ કરી. ને હું રડી પડ્યો.
"પત્થરને નહીં સ્વયંને કંડાર...
ને પ્રાણપ્રતિષ્ઠા નહીં આત્મપ્રતિષ્ઠા કર." તેણે જવાબ આપ્યો.
No comments:
Post a Comment