July 10, 2010

નયનથી હૃદય સુધી..


ઓ પ્રિયતમ ! તારું સાનિધ્ય મને મસ્ત બનાવી દે છે. મારા અંતરમાં વિશુદ્ધ પ્રેમનો પ્રવાહ વહેતો કરી દે છે. સમસ્ત વિશ્વમાં તારી સુંદર પ્રેમ ભરી પ્રતિમા નીરખતો તારામાં લીન બની જાઉં છું. તને ક્યાં ખબર છે કે તારા નામ અને સ્મરણ માત્રથી જ હું તો ચકચૂર બની જાઉં છું.. 
નયનામૃતનું પાન તો બહુ મોટી વાત છે. બસ, અહર્નિશ તારાં ગુણગાન અને ધ્યાનમાં મારા બધા દુ:ખ દર્દો ભૂલી જાઉં છું.
મને તારામાં ડૂબી જવા દે. કહે છે કે પ્રણય હૃદયમાં તો સૌંદર્ય નયનમાં વસે છે... મને નયનથી હૃદયમાં ડૂબી જવા દે.

No comments:

Post a Comment