કંઈ એમ જ વ્યર્થ નથી જતું બલિદાન પુષ્પોનું... ઉપવનનાં શ્રેષ્ઠ પુષ્પોને ચૂંટીને જ્યારે તમે દેવમંદિરે આવ્યા ત્યારે મંદિરનાં દેવતાએ તમારા હાથમાં ભિક્ષુકનો કટોરો પકડાવ્યો ; જ્યારે પુષ્પોને પોતાનાં મુગટ પર ધારણ કર્યા !
તમે મને પ્રેમ કરો છો. તમને આવું લખાણ પણ કદાચ ગમે છે. કારણકે "પ્રેમ કરવો" એ તમારો સ્વભાવ છે. અને તેથી જ જ્યારે "પ્રતિભાવ" આપવાનો થાય છે ત્યારે તમે પ્રસંષા કરો છો. જે નથી ગમતું ત્યાં મૌન રહો છો. અને બીલકુલ નથી ગમતું તેને અવગણીને આગળ વધી જાઓ છો. તમારો પ્રતિભાવ તમારી લાગણીઓનો સાચો પડઘો ક્યાં છે ? તમારો નૂતન દ્રષ્ટિકોણ મને નવી દ્રષ્ટિ ન આપી શકે ? આપણે બન્ને સાથે મળીને કંઇક નવું ન સર્જી શકીએ ?
0 ટિપ્પણી(ઓ):
Post a Comment